સમરસ છાત્રાલયમાં પ્રવેશ ૨૦૨૩-૨૪

સમરસ છાત્રાલયમાં પ્રવેશ ૨૦૨૩-૨૪ મેળવવા.

    સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી - વિદ્યાર્થિનીઓને વર્ષ ૨૦૨૩-૨૪ના શૈક્ષણિક વર્ષ માટે અમદાવાદ, ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિંમતનગર અને પાટણ વગેરે જિલ્લાઓની  સમરસ કુમાર અને કન્યા છાત્રાલયોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા તમામ વિદ્યાર્થીઓ પાસેથી  નીચેની  વેબસાઈટ પર તા: 25/06/2023 સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

✓ https://samras.gujarat.gov.in/


ગુજરાત સમરસ છાત્રાલય પ્રવેશ 2023

_____________________________________
સંસ્થાનું નામ :- સમરસ છાત્રાલય પ્રવેશ
______________________________________  પ્રવેશ :- ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી
                     સમરસ છાત્રાલય હેઠળ સામાજિક                         ન્યાય અને અધિકારીતા વિભાગ
_____________________________________   પ્રવેશની પ્રક્રિયા :-  Online
_____________________________________
પ્રવેશની કેટેગરી :- SC/ST/OBC/EBC
_____________________________________
 કુલ હોસ્ટેલ :- 20 હોસ્ટેલ
_____________________________________
 કુલ જગ્યાઓ :- 1300 જગ્યાઓ
_____________________________________
છેલ્લી તારીખ :- 25/06/2023
_______________________________________
ઓફિસિયલ વેબસાઇટ :-https://samras.gujarat.gov.in/
_______________________________________

ફોર્મ ભરવા માટે : ક્લિક કરો 
જાહેરાત વાચવા માટે : ક્લિક કરો 
વધારે માહિતી માટે : ક્લિક કરો 

અન્ય માહિતી
•સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈપણ વર્ષ કે સેમેસ્ટરમાં નવો પ્રવેશ મેળવવા માટે ધોરણ-૧૨ની ટકાવારી અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની ટકાવારી (જે ટકાવારીના આધારે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલ હોય તે ટકાવારી)ના આધારે મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.
(નોંધ: વિદ્યાર્થીએ ૫૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ.)
•સમરસ છાત્રાલયમાં અગાઉના વર્ષમાં પ્રવેશ મેળવેલ હોય તેવા રીન્યુઅલ વિદ્યાર્થીઓએ પણ ફરજિયાતપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ગ્રુપ-૨ અને ગ્રુપ-૩ના રીન્યુઅલ વિદ્યાર્થીઓ જે બીજા વર્ષે છાત્રાલયમાં રહેવા માગતા હોય તો તેમને ગત વાર્ષિક પરીક્ષામાં યુનિવર્સિટી માન્ય ગણતરી પ્રમાણે છેલ્લા બે સેમેસ્ટરની ટકાવારીમાં (SPl-Semester Performance Index) ૫૫% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ. જ્યાં ટકાવારીને બદલે ગ્રેડેશન આપવામાં આવતા હોય તેવા કિસ્સામાં ૫૫% કે તેથી વધુના સમકક્ષ ગ્રેડેશન હોવા જોઈએ. ગ્રુપ ૧ના રીન્યુ વિદ્યાર્થીઓ માટે ટકાવારી ૫૦% રહેશે.
•વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ ઓનલાઇન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક્ક દાવો કરી શકશે નહી. ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ થયેથી તેમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓએ વેબસાઈટ પર દર્શાવેલ સમયગાળામાં સબંધિત સમરસ છાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે. ત્યારબાદ સબંધિત સમરસ છાત્રાલય દ્વારા પ્રવેશ નિયત કરવામાં આવશે.
જો કોઈ છાત્ર ની ઓનલાઈન ફોર્મમાં ભરેલ ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના પ્રમાણપત્રો વિગતોમાં તફાવત જણાશે તો તેવા છાત્ર નો પ્રવેશ રદ કરવામાં આવશે.
•સમરસ છાત્રાલય જે જિલ્લામાં આવેલ છે તે જ જિલ્લાની કોલેજ ખાતે અભ્યાસ કરનાર છાત્રો જ પ્રવેશપાત્ર ગણાશે.
•સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો ઉક્ત દર્શાવેલ વેબસાઈટ પર દર્શાવેલ છે જેનો સંપુર્ણ અભ્યાસ કરી છાત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
•વધુમાં પ્રવેશ અંગેની કોઈપણ માહિતી માટે વેબસાઈટ પર દર્શાવેલ સબંધિત જિલ્લામાં આવેલ સમરસ છાત્રાલયનો સંપર્ક કરવાનો રહેશે.
•ગ્રામ્ય વિસ્તારના છાત્રો ઈ-ગ્રામ મારફતે પણ પ્રવેશ માટેની ઓનલાઈન અરજી કરી શકશે.



What's group: join

Telegram group: join


ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું