હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતના અસર ગ્રસ્ત વિસ્તારો: live બિપરજોય વાવાઝોડું
- વાવાઝોડું કચ્છનાં માંડવી અને જખૌ બંદર પાસે 15 જૂને ત્રાટકશે .
- કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા અને ભાવનગર જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર.
- બુધવાર સવારની સ્થિતિ પ્રમાણે વાવાઝોડું અરબી સમુદ્રમાં જખૌ બંદરથી 280 કિલોમિટર દૂર હતું
- વાવાઝોડું દેવભૂમિ દ્વારકાથી 290 કિલોમિટર દૂર છે, જ્યારે નલિયાથી 300 કિલોમિટર દૂર છે.
- બુધવારે જામનગર, ભાવનગર,પોરબંદર, રાજકોટમાં 65-75 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
- કચ્છ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પણ 65-75 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
- બિપરજોય વાવાઝોડું ત્રાટકશે ત્યારે 150 કિલોમિટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવાની શક્યતા.
- વાવાઝોડાના લીધે ગુજરાતના અનેક જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ .
વિગતે માહિતી:
અરબી સમુદ્રમાં બિપરજોય વાવાઝોડું આગળ વધી રહ્યું છે, છેલ્લા છ કલાકથી વાવાઝોડું ત્રણ કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું ગુરુવારે ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી અને જખૌ બંદર વચ્ચે ત્રાટકે એવી શક્યતા છે.
બુધવાર સવાર સુધીની સ્થિતિ પ્રમાણે બિપરજોય વાવાઝોડું અરબી સમુદ્રમાં જખૌ બંદરથી 280 કિલોમિટર દૂર છે અને દેવભૂમિ દ્વારકાથી 290 કિલોમિટર દૂર છે, જ્યારે નલિયાથી 300 કિલોમિટર દૂર અને પોરબંદરથી 350 કિલોમિટર દૂર છે.
ક્વિઝ આપવા અહીં ક્લિક કરો |
અતિભારે વરસાદની શક્યતા
હવામાનવિભાગની આગાહી પ્રમાણે વાવાઝોડું ત્રાટકે એ પહેલાંથીજ તેની અસર વર્તાવાની શરૂ થઈ જશે. આ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડે એવી શક્યતા છે.
હવામાન વિભાગનું કહેવું છે કે ભાવનગર, કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં બુધવારથી જ વરસાદ શરૂ થઈ શકે છે.
વાવાઝોડાના કારણે વરસાદની સાથે અતિ તીવ્ર પવન પણ ફૂંકાય શકે છે.
હવામાન વિભાગના અંદાજ પ્રમાણે ગુરુવારે અરબી સમુદ્ર પરથી 150 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
જોકે શુક્રવાર સુધીમાં પવનની ગતિ ધીમે-ધીમે ઘટી જાય એવી શક્યતા છે.
કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં જોરદાર પવન ફૂંકાય એવી શક્યતા છે, આ અંગે સ્થાનિક તંત્રને પણ ઍલર્ટ કરી દેવાયું છે.
અરબી સમુદ્રમાં બિપરજોય વાવાઝોડું આગળ વધી રહ્યું છે, છેલ્લા છ કલાકથી વાવાઝોડું ત્રણ કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.
આ વાવાઝોડું ગુરુવારે ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી અને જખૌ બંદર વચ્ચે ત્રાટકે એવી શક્યતા છે.
બુધવાર સવાર સુધીની સ્થિતિ પ્રમાણે બિપરજોય વાવાઝોડું અરબી સમુદ્રમાં જખૌ બંદરથી 280 કિલોમિટર દૂર છે અને દેવભૂમિ દ્વારકાથી 290 કિલોમિટર દૂર છે, જ્યારે નલિયાથી 300 કિલોમિટર દૂર અને પોરબંદરથી 350 કિલોમિટર દૂર છે.
અરબી સમુદ્રમાં આગળ વધી રહેલું બિપરજોય વાવાઝોડું આગળ વધી રહ્યું છે. તે માંડવી અને કરાચીની વચ્ચે ગુરુવારે ત્રાટકે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.
બુધવાર સવાર સુધીની સ્થિતિ પ્રમાણે વાવાઝોડું અરબી સમુદ્રમાં જખૌ બંદરથી 280 કિલોમિટર દૂર હતું, જ્યારે દેવભૂમિ દ્વારકાથી 290 કિલોમિટર દૂર હતું અને નલિયાથી પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમમાં 300 કિલોમિટર દૂર હતું. જ્યારે વાવાઝોડું અરબી સમુદ્રમાં પોરબંદરથી 350 કિલોમિટર દૂર હતું.
તો આ વાવાઝોડું ગુજરાતમાં બરાબર કઈ જગ્યાએ ત્રાટકશે અને કેટલા વાગ્યે ત્રાટકશે? જુઓ આ વીડિયોમાં.
અરબી સમુદ્રમાં લગભગ એક સપ્તાહથી વાવાઝોડું આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું બિપરજોય આટલા લાંબા સમય સુધી કેવી રીતે ટકી રહ્યું છે?
વાવાઝોડાની શક્તિ અને અવધિ શા માટે વધી રહી છે? વાવાઝોડું સર્જાવાથી માંડીને તેના દરિયા કાંઠે ત્રાટકવા સુધીનો લાંબોલચક ગાળો ઘણા માટે કુતૂહલનો વિષય હોય એ વાત વાજબી છે.
છઠ્ઠી જૂને સર્જાયેલું વાવાઝોડું 15 જૂને ગુજરાતના દરિયા કાંઠે ત્રાટકવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
આ વાવાઝોડાની તાકત દસ દિવસ સુધી યથાવત્ રહેશે એવું લાગે છે, પરંતુ આટલો લાંબો સમય ચાલ્યું હોય તેવું 2023નું આ પહેલું વાવાઝોડું નથી.
માહિતીનો સોર્સ: BBC NEWS